સુત્રાપાડા ના પ્રશ્રનાવાડા ગામા ખેડુતના કુવામાં 3 વર્ષ નો દીપડો કૂવામાં ખાબક્યો

હિન્દ ન્યુઝ, સુત્રાપાડા

સુત્રાપાડા ના પ્રશ્રનાવાડા ગામા ખેડુતના કુવામાં 3 વર્ષ નો દીપડો કૂવામાં ખાબક્યો હતો. આ દીપડાને દોઢ કલાક ની જહેમત બાદ વન વિભાગે 35 ફુટ ઉંડા કુવામાં થી દીપડાને જીવિત બહાર કાઢવામાં આવ્યો. ગત રાત્રી કુવામાં દીપડો ખાબક્યો હતો. વહેલી સવારે ખેડૂત ને જાણ થતાં વન વિભાગને જાણ કરાઈ, વનવિભાગની ટીમ ધટના સ્થળ પર પહોંચી દોઢ કલાકની જહેમત બાદ દીપડાને કુવામાંથી બહાર કાઢાયો, હાલ દીપડો અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

રિપોર્ટર : હારૂન માનવતા, વેરાવળ

Related posts

Leave a Comment