હિન્દ ન્યુઝ, વાવ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકા માં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે ત્યારે આજરોજq વાવ તાલુકાના અસારા ગામે રાજપુત હિરજી ભાઈ પીરાજી ના જુવાર ના 7000 પુળા માં લાગી આગ. આકસ્મિત આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે થરાદ ફાયર ફાઈટર ને જાણ કરાતા થરાદ પાલિકાનાં ને ફાયરની ટીમ વિરમાભાઈ અને ધનજીભાઈ પ્રજાપતિ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાનિ ટળી.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ