થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે ઠાકોર સમાજ દ્વારા જાગરણ અને યજ્ઞ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, લાખણી

    લુવાણા કળશ ની પાવનધરા મા અને કલેશહર માતાજીના સાનિધ્યમાં લુવાણા(ક) ગામના ઠાકોર સમાજ દ્વારા જે પ્રકારે કોરોના ની મહામારી ચાલી રહી છે તે નિમેતે ગામની અંદર સુખ-શાંતિ બની રહે તે હેતુથી અને રાત્રે જાગરણ અને બીજા દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજના ઘરદીઠ યોગ્ય શક્તિ પ્રમાણે ફાળો કરીને આ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને યજ્ઞ ના આચાર્યશ્રી ઈશ્વરલાલ શાસ્ત્રી ડુવા અને શાસ્ત્રી નરસીભાઈ એચ. દવે લુવાણા(ક) તેમનો ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બંને ભૂદેવોનો પાઘડી પહેરાવીને તહે દિલ થી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ માજી સરપંચ અનાજી વાઘેલા અને દલપતભાઈ વાઘેલા બાજુજી નારોલિયા અને ઠાકોર સમાજના યુવાન મિત્રો ઉપસ્થિત રહીને આ ધાર્મિક કાર્ય કરવામાં આવ્યું હતો.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment