વિરમગામમાં નવસર્જન ટ્રસ્ટ, જનવિકાસ દ્વારા સફાઈ કામદારોના આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કીટ આપી

હિન્દ ન્યૂઝ, વિરમગામ

  વિરમગામમાં શહેરી / ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ – ૧૯ ની મહામારી વધુ જોવા મળી છે. જેને ધ્યાને લઈને નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસ દ્વારા વિરમગામના ઠક્કર બાપા વિસ્તારમાં રહેતા સફાઈ કામદારોના આરોગ્યની ચિંતા કરીને મેડિકલ કીટ આપવામાં આવી.
વિરમગામ શહેરને સ્વચ્છ રાખનાર સાચા કોરોના વોરિયર સફાઈ કામદારોની આરોગ્યની ચિંતા કરીને મેડિકલ કીટ આપીને જે બીમાર હોય તેને પ્રાથમિક મદદરૂપ થાય. તેમનું ઓક્સિજન, તાપમાન માપી શકીએ તેમજ નાશનું મશીન, પેરાસીટોમોલ દવા, કોવિડ – ૧૯ વિશે પ્રાથમિક સમજની નાની પુસ્તિકા, સેનેટાઈઝર, ફુગ્ગા, પોસ્ટરો આપીને કિરીટ રાઠોડ (સામાજિક કાર્યકર), વિનોદ બકરોચિયા, અતુલ સોલંકી,અનિલ મકવાણા દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment