હિન્દ ન્યુઝ, અંબાજી
યાત્રાધામ અંબાજીમાં મંદિરના સ્ટાફને તેમજ કર્મચારીઓને આજરોજ કોરોના વેક્સિન આપવામાં આવી હતી. કોરોના મહામારી નો સામનો કરવા માટે આજરોજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી દરેક મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને વિનામૂલ્યે વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. દરેક મંદિર સ્ટાફ, જી.આઇ.એસ.એફ ગાર્ડ અને સફાઈ કામદાર, મંદિર ગઢ ના દરેક સ્ટાફ ને આજરોજ વેક્સિન આપવામાં આવી હતી.
રિપોર્ટર : બિપીન સોલંકી, અંબાજી