હિન્દ ન્યૂઝ, થરાદ
દેવકાપડી ગામના વતની જગદીશભાઇ સાધુ સેવાનાં કાર્યો માં તમામ તહેવારોએ ગામના મધ્યમવર્ગના જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓ આપી ઉજવણી કરે છે. સાથે સાથે પક્ષીપરબ અને પક્ષીમાળા થકી અબોલ જીવોની પણ સેવા કરે છે. હવે ગરમીની ઋતુની શરૂઆત થતાં પોતાના ગામમાં અને આજુબાજુના ગામમાં આ સેવા કરવાનું કાર્ય કરી રહ્યા છે. એમણે વજાપુરજુના ગામમાં પણ આ અબોલ જીવોની સેવા માટે પરબ અને માળાનું વિતરણ કરેલ છે. આ સેવાકાર્યમાં વિ.જી.દવે ગ્રુપ સંચાલક શાસ્ત્રી દવેવિક્રમદત, અમરતભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ રાવળ, લીલાભાઈ ઠાકોર અને બીજા મિત્રો જોડાયા હતા.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી