દિયોદર લક્ષ્મીપુરા વિસ્તાર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર લક્ષ્મીપુરા વિસ્તાર ખાતે આજરોજ સોઢા પરિવાર દ્વારા ગોગા મહારાજ સિકોતર માતાજી તેમજ સધી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું એક આયોજન કરાયું હતું. જેમાં રમેશભાઇ શાસ્ત્રી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર કરી હવન યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જગદીશભાઈ સોઢા (ભુવાજી) પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુ બાજુ વિસ્તાર ના યુવાનો અને સોઢા પરિવાર ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવન માં હાજરી આપી ભોજન પ્રસાદ લીધો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment