વેરાવળ નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૫૦૦ ભરી નળ જોડાણ કાયદેસર કરી શકાશે

ગીર સોમનાથ

તા.૦૨, નલ સે જલ યોજના અંતર્ગત તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં નળથી પાણી મળી રહે તે માટે સરકારએ નિતિ જાહેર કરેલ છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં રહેતા નાગરિકો દ્રારા કોઈ પ્રક્રિયા વગર કે નિયત ફિ ભર્યા વગર નળ જોડાણ લઈ લેવામાં આવેલ તેઓએ તા.૩૧-૧૨-૨૦૨૦ સુધીમાં કનેકશન દીઠ રૂા.૫૦૦ ની રકમ નગરપાલિકાના પાણી શાખામાં ભરી કનેકશનને કાયદેસર કરાવી લેવુ અથવા પાણીનું નવું કનેકશન મેળવવા માંગતા હોય તેઓએ નગરપાલિકાના પાણી શાખાનો સંપર્ક કરવા ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment