થરાદ,
કોરોના વાયરસ નામની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રાત દિવસ કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ તથા વિવિધ કર્મચારીઓ ને વીમા કવચ આપ્યું છે, ત્યારે થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગ્રામસેવકો માટે પણ વીમા કવચ ની માંગણી કરી છે.
ગુજરાત મા અત્યારે રવિ પાકનું કટિંગ ચાલુ છે ત્યારે ગ્રામ સેવકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ પણ ગ્રામકક્ષા કામગીરી કરતા હોવાના કારણે પૂર્ણ ભય રહેતો હોય છે. માટે આવી મહામારી વચ્ચે ફરજ બજાવતા હોવાથી તમને પણ વીમા કવચ આપવામાં આવે તેવી ગુલાબસિંહ રાજપૂતે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ને લેખિત રજૂઆત કરી હતી. તેથી થરાદ તાલુકા ગ્રામસેવક મંડળના પ્રમુખ ભાનુભાઇ પંડ્યાએ ધારાસભ્ય નો આભાર માન્યો હતો.
રિપોર્ટર : મોહનભાઈ સુથાર, બનાસકાંઠા