હિન્દ ન્યુઝ, ગાંધીનગર સુશાસનની દિશામાં ‘ડિજિટલ ગુજરાત’નો વધુ એક નવતર અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો; સાયન્સ-ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ. GARC (Gujarat Administrative Reforms Commission)ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે, રાજ્યના 5 મુખ્ય વિભાગોની 20 હાઇ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઇન સરળીકરણ જાહેર; હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ બનશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ આંગળીના…
Read MoreAuthor: Admin
પ્રાકૃતિક ખેતીમાં હ્યુમસના મહત્વ વિશે જાણીએ…!
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક ખેતીમાં હ્યુમસનું નિર્માણ થવું ખુબ જ અગત્યનું છે. હ્યુમસ એટલે જીવન દ્રવ્ય, જમીનની ઉત્પાદન ક્ષમતા, જમીનનો ઉપરનો ૪-૫ ઇંચનો ભાગ. આપણે હ્યુમસનું નિર્માણ ક્યારે થાય એ વિશે જાણીશું. હ્યુમસના નિર્માણમાં કુદરતી મલ્ચીંગ જેમાં વેલાવાળા શાકભાજી, ધાન્ય પાકના પરાળ, કઠોળ પાકના પાંદડા-ડાળી વગેરે અને દેશી ગાયનું છાણ એ મહત્વનો ભાગ ભજવે છે. કુદરતી મલ્ચીંગથી જમીન ઢંકાઈ જાય એટલે જમીન ઉપર અંધારું અને ઠંડક રહે છે. એવા વાતાવરણમાં જમીનમાં ૨૫-૩૦ ફૂટ ઊંડે બધા જ પોષક તત્વો હોય છે. જમણી ઉપર અંધારું અને ઠંડકવાળું વાતાવરણ મળતાં…
Read Moreઆગામી ૨૯મીએ ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) ની પરીક્ષા યોજાશેઃ જાહેરનામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) યોજાનાર છે. આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લામાં આ પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના…
Read Moreધરતીનું રક્ષણ અને જન-આરોગ્યના જતન માટે પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની માંગ
હિન્દ ન્યુઝ, દાહોદ વર્તમાન સમયમાં વધતા જતા રાસાયણિક પ્રદૂષણ સામે ધરતી માતાનું રક્ષણ કરવા અને માનવ આરોગ્યને જાળવી રાખવા માટે ‘પ્રાકૃતિક ખેતી’ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આ પદ્ધતિ માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શુદ્ધ વાતાવરણ અને સ્વસ્થ જીવનશૈલી તરફનું એક મહત્વનું ડગલું છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધે છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ થાય છે, જે ખેડૂત અને પર્યાવરણ બંને માટે આશીર્વાદરૂપ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી હવે એક જન-આંદોલન…
Read More“રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી…”
હિન્દ ન્યુઝ, ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે…
Read Moreરાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાતો માત્ર અફવા છે!
હિન્દ ન્યુઝ, ગુજરાત રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાતો માત્ર અફવા છે! ગુજરાત સરકાર, IOCL અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને પેનિક ન થવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. જાણીજોઈને પંપ બંધ રાખનાર ડીલરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read Moreગુજરાત સરકાર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે. આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો…
Read Moreભારતીય વાયુસેના દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરને પ્રતિષ્ઠિત ‘Commendation’ મેડલ એનાયત
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ વહીવટી કામગીરીની નોંધ લઈને તેમને વાયુસેનાના પ્રતિષ્ઠિત ‘Commendation’ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે તેમને આ મેડલ તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર એરફોર્સ બેઝ એ દેશનો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો બેઝ છે અને કલેક્ટર તરીકે શ્રી કેતન ઠક્કરે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને વાયુસેના વચ્ચે મજબૂત કડી તરીકે કાર્ય કરી વહીવટી પ્રક્રિયાઓને વેગ આપ્યો છે.ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતો દરમિયાન વાયુસેનાના બચાવ…
Read Moreજામનગરની સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા સિંધી સમાજ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઓરલ હેલ્થ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ ‘વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ’ (World Oral Health Day) નિમિત્તે વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિંધી સમાજ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને રોટરી ક્લબનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે મૌખિક આરોગ્ય ચકાસણી શિબિર યોજવામાં આવી હતી, જેમાં નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનજાગૃતિના ભાગરૂપે પ્રભાવશાળી નુક્કડ નાટક દ્વારા દાંતની સુરક્ષા અને મૌખિક સ્વચ્છતાના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મૌખિક સ્વચ્છતા સંબંધિત વિવિધ…
Read Moreઅંકલેશ્વર સીટી ડેપો ખાતેથી ૩ નવી એસ.ટી. બસોનો ભવ્ય પ્રારંભ!
હિન્દ ન્યુઝ, અંકલેશ્વર ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરતા, અંકલેશ્વર સીટી ડેપો ખાતેથી માનનીય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ત્રણ નવીન એસ.ટી. બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
Read More