અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે કથાકાર મોરારી બાપુના હસ્તે પુસ્તક વિમોચન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

   લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે કથાકાર મોરારી બાપુના હસ્તે પુન:વિમોચન કરવામાં આવ્યું. રાજ્યના માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે ‘કાગના ફળિયે કાગની વાતુ’ કાર્યક્રમના 25માં મણકા નિમિત્તે વિમોચન કરાયું.

આ પુસ્તકમાં ટેકનોલોજીનો સમન્વય: QR કોડ સ્કેન કરી કવિ કાગના કંઠે ગવાયેલી વિવિધ કૃતિઓ સાંભળી શકાશે; આ પ્રસંગે ચારણ સંસ્કૃતિનું દર્શન કરાવતા અંક ‘ચારણ સંસ્કૃતિ’નું પણ વિમોચન કરાયું.

આ પુસ્તકના પુનઃવિમોચન બદલ મોરારીબાપુએ અંતઃકરણથી પ્રસન્નતા વ્યક્ત કરી જ્યારે પૂર્વ માહિતી નિયામક વી.એસ ગઢવીએ માહિતી કમિશનર કે.એલ. બચાણી અને માહિતી ખાતાનો આભાર વ્યક્ત કર્યો.

Related posts

Leave a Comment