દેવગઢ બારિયા તાલુકાના રાતડીયા ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેન એ ખેડૂત બહેનોને પ્રાકૃતિક ખાતર બનાવવા અંગે આપી તાલીમ

હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા 

    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ રાતડીયા ગામ ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેનએ અન્ય ખેડૂત બહેનોને કુદરતી ખાતર કઈ રીતે બનાવવું એ અંગે પ્રેક્ટીકલ થકી તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. આ દરમ્યાન ઉષાબેનએ સૌ ખેડૂત બહેનોને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક ખેતી થકી થતા ફાયદાઓ તેમજ રાસાયણિક ખાતર-બિયારણ-દવા થકી જમીન, અનાજ, શાકભાજી, ફળો થકી મનુષ્યોને કઈ રીતે નુકસાન કારક છે એ અંગે સમજણ આપી હતી.

Related posts

Leave a Comment