મહા શિવરાત્રીના મેળામાં તમામ 50 વાહનોનો ઉપયોગ કરી દિવ્યાંગ અને વૃદ્ધજનોને ભવનાથ મહાદેવના દર્શન કરાવાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત વૃદ્ધ દિવ્યાંગજનો અને અશકતો માટે વિનામૂલ્યે વાહન વ્યવસ્થા રાખવામાં આવી છે. આ વાહનનો ઉપયોગ કરીને ભવનાથ મહાદેવના દર્શન અને મેળાનો લાભ મળતા દિવ્યાંગ અને વયોવૃદ્ધ ,અશક્ત ભાવિકોએ એ તંત્રનો આભાર માન્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રની આ વ્યવસ્થાને ભાવિકોએ આવકારી છે. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની સુચનાથી આજે દિવ્યાંગો માટે રિઝર્વ રખાયેલા તમામ 50 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી દિવ્યાંગો ,વૃદ્ધજનો અને અશકત ભાવિકોને મોટી રાહત થઈ હતી.

આ કામગીરી નું સંકલન વિવિધ પાર્કિંગ ખાતેથી સમાજ સુરક્ષા વિભાગના અધિકારી અને તેની ટીમ પ્રાંત અધિકારી અને મેળા અધિકારીના સંકલનમાં કરી રહી છે.

Related posts

Leave a Comment