હિન્દ ન્યુઝ, સુરત
કોસંબા-માંગરોલ-ઝંખવાવ પાસે એમ.ડી.આર.બી. બનાવવાની કામગીરી કરવાની હોય કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ સુરત અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી કોસંબા-માંગરોલ-ઝંખવાવ પાસે એમ.ડી.આર.બી. બનાવવા ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને વૈકલ્પિક રૂટ તરીકે કોસંબા-માંગરોલ-ઝંખવાવ તરફ આવવા જવા માટે કોસંબાથી-કિમ ચોકડીથી-તડકેશ્વરથી-નાની નરોલીથી-મોસાલી ચોકડી થઈને અવાર-જવર કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
