રાજકોટ શહેર ઓખા-બાંદ્રા, રાજકોટ-કોઈમ્બતુર, ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે કુલ ૫૫ ફેરા થશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ-કોઈમ્બતુર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન રાજકોટથી તા.૧૯, ૨૩, ૨૭ અને ૩૧ મેના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઉપડી કોઈમ્બતુર ત્રીજા દિવસે ૨:૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત કોઈમ્બતુરથી ૨૨, ૨૬, ૩૦ મે અને ત્રણ જૂનના રોજ સવારે ૪ કલાકે ઉપડી ત્રીજા દિવસે રાત્રે ૧૨ કલાકે રાજકોટ પહોંચશે. ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ઓખાથી તા.૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭ અને ૩૧ મે ના રોજ સવારે ૭:૧૫ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે ૫ કલાકે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન પરત તા.૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦ મે અને ૧લી જૂનના રોજ ગુવાહાટીથી સાંજે ૪ કલાકે ઉપડી ત્રીજા દિવસે ઓખા મધ્યરાત્રીએ ૧:૧૦ કલાકે પહોંચશે. પોરબંદર-શાલીમાર ટ્રેન પોરબંદરથી તા.૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮ અને ૩૦ મેના રોજ સવારે ૮ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાલીમાર સવારે ૩:૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત શાલીમારથી તા.૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦ મે અને ૧લી જૂનના રોજ રાત્રે ૧૦:૫૦ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે ૬:૨૫ કલાકે પોરબંદર પહોંચશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment