હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આગામી 21 નવેમ્બરના રોજ રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે.
આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ. મંત્રીએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો-સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.
