હિન્દ ન્યુઝ, નવસારી
‘સ્વચ્છતા સે સ્વાગત’; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમનને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.
સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામના સંકલ્પ સાથે 149 ગામોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ.
આ અભિયાન દરમિયાન ગામોના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, ગામના ચોરા, ગ્રામ પંચાયત કચેરીઓ, શાળા પરિસરો તેમજ અન્ય જાહેર સ્થળોએ સઘન સફાઈ કરવામાં આવી, સાથે સાથે તળાવો, કૂવાઓ, જળાશયો તથા તેના આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા.
