હિન્દ ન્યુઝ, સુરત
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સફાઈ કરીને ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ ૭૫થી વધુ સફાઈ કર્મીઓએ ઉત્સાહભેર જોડાઈને નવી સિવિલના વિશાળ કેમ્પસને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરી કરી હતી.
