જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફળશ્રુતિ

હિન્દ ન્યુઝ, જામનગર

      સમગ્ર રાજ્યમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના માધ્યમથી અનેક લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ આવી રહ્યું છે. નાગરિકોને તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે વડી કચેરીમાં જવાની જરૂર પડતી નથી. જામનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર તાલુકાના હાપા ગામના અરજદાર શ્રી રાજેન્દ્રસિંહ ઈસરાણીએ જણાવ્યું હતું કે, ”મેં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગૌચરની જમીન પર દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી હતી. આ અરજી કર્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માધ્યમથી મારા પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મારા પ્રશ્નને સાંભળવા બદલ અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે મદદરૂપ બનેલા તમામ અધિકારીઓ અને રાજ્ય સરકારનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું…”

 

 

 

 

Related posts

Leave a Comment