ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફના માર્ગ પર પાણી ભરાતા તંત્રએ અવરજવર પર પ્રતિબંધ મૂક્યો

હિન્દ ન્યુઝ, નવસારી

    નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતાં સલામતીના હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ અસ્થાયી ધોરણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

     રસ્તા પર પાણીનું સ્તર વધતા વાહનચાલકો તથા રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ બંધ કરાયેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવો તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

   જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પાણીનું સ્તર ઘટીને માર્ગ સુરક્ષિત બન્યા બાદ જ અવરજવર ફરી શરૂ કરવામાં આવશે.

Related posts

Leave a Comment