ગાંધીનગર જિલ્લામાં લોકશાહીનો પર્વ: વિદ્યાર્થીઓએ શેરી નાટકો અને ગીતો દ્વારા ગુંજવ્યો મતદાનનો સંદેશ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SVAP અંતર્ગત જનજાગૃતિ અભિયાનને વેગવંતું બનાવવામાં આવ્યું છે. 

આ અભિયાનના ભાગરૂપે આજે જિલ્લાની વિવિધ શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓએ જાહેર સ્થળો પર ધારદાર શેરી નાટકો અને લોકગીતો પ્રસ્તુત કરી નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. 

આવતીકાલે 22 એપ્રિલના રોજ આ અભિયાનના ભાગરૂપે ભવ્ય જન જાગૃતિ રેલી અને માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો, આપણે સૌ સાથે મળીને લોકશાહીના આ મહાપર્વમાં અચૂક મતદાન કરી એક જવાબદાર નાગરિકની ફરજ નિભાવીએ.

Related posts

Leave a Comment