જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુવ્‍યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ

જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી પર મનાઇ ફરમાવેલ છે. જેથી ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી તેમને મળેલ સતાની રૂએ કચ્છ-ભુજ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ મિતેષ પંડયા દ્વારા જાહેર કરેલ આ જાહેરનામા અન્‍વયેનો અમલ તા.૦૨/૦૯/૨૦૨૨ સુધીની મુદત માટે રહેશે. અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્‍યકિતઓને એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા, કાઢવા કે રેલી સ્વરૂપે એકઠા થઇને આવેદન પત્ર આપવા પર મનાઇ ફરમાવી છે. આ જાહેરનામા અન્‍વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્‍યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્‍યકિતઓને, લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, અત્રેથી, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર કોઇપણ વ્‍યકિતને અધિનિયમની કલમ- ૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સહિતા ૧૮૬૦ના કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment